Abtak Media Google News

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની ઘટના : સદનશીબે કોઈને ઈજા ન પહોંચી

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં સુરેન્દ્રનગર-લીંબડી  રૂટની બસમાં મુસાફરો બેસતા હતા. એક મુસાફર બસની સીટમાં બેસીને બારીનો કાચ ખોલતા હતા. એવામાં એકાએક બારીનો આખેઆખો કાચનો ભૂક્કો બોલી જતાં મુસાફરો આશ્ચર્યમાં મૂકાઇ જઇને હવે તો એસટીને અડવામાં પણ જોખમ છે તેવો સૂર ઉઠ્યો હતો.

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી બપોરના સમયે જતી સુરેન્દ્રનગર-લીંબડી-સુરેન્દ્રનગરની રૂટમાં મુસાફરો પોતાની સીટ મેળવવાના પ્રયાસો કરતા હતા. આ સમયે કડંકટરની સામેની ત્રણ મુસાફરો બેસી શકે તેવી સીટમાં એક મુસાફર બારી પાસે બેસી બારીનો કાચ હવા ખાવા માટે ખોલતા જ એકાએક જ કાચ તૂટવાની સાથે ભૂક્કો થઇને બસમાં જ પડયો હતો. જો કે આ ઘટનામાં મુસાફરને કોઇ ઇજા ન પહોંચતા મુસાફરોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.