Abtak Media Google News

મહંત શામળદાસ બાપુના સાનિઘ્યમાં તા.૧ર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે

શામળદાસ બાપુના સાનિઘ્યમાં હડમતીયા પાલણપીર મેળાનું ભાદરવા વદ ૯ ને બુધવાર તા. ૩ થી ૧ર ૧૦ દિવસીય આયોજન કરેલ છે. આ મેળામાં ધારાસભ્ય લાખાભાઇ જેઠાભાઇ સાગઠીયા તથા ગીતાબેન લાખાભાઇ સાગઠીયાના હસ્તે ઉતારાની રાવટી ઉપર નોમનો નેજો ચડાવી હરહીર ખુલ્લુ મુકવામાં આવશે તેમજ દિપ પ્રાગટય સમાજ સેવાના ભેખધારી જેન્તીભાઇ પુનાભાઇ પરમાર તથા રમાબેન જેન્તીભાઇ પરમાર વાળાધારીના હસ્તે રાખવામાં આવ્યું છે.

અન્નકુટોના દાતા મનસુખભાઇ સાગઠીયા કમરકોટડા વાળાનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

પાલણપીરના મેળામાં દરેક ને પધારવા સંત શિરોમણી દાસીજીવણ સાહેબની જગ્યાના મહંત શામળદાસ બાપુ ભાવ ભર્યુ આમંત્રણ પાઠવ્યું હોવાનું અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ત્રિલોક બાપુ, જેન્તીભાઇ પુનાભાઇ પરમાર, ખીમજીભાઇ ગુંદાળા, નારણભાઇ ભલાભાઇ ખીમસુરીયા, નારણભાઇ જીવાભાઇ બગડા, માવજીભાઇ ચનાભાઇ સોલંકી, સાહીત્ય કલાકર તુલસીભાઇ ગોંડલીયા તથા મનુભાઇ ધાંધલ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.