Abtak Media Google News
  • અજાણ્યા ઈસમોએ ઘરમાંથી 1.76 લાખની ચોરી કરી
  • ઈસમો વિરુદ્ધ યોગ્ય કલમો તળે ગુનો નોંધી  તપાસ હાથ ધરવામાં આવી 

અંજાર ન્યૂઝ : અંજારના મેઘપર કુંભારડીના રાધાનગરમાં રહેતા મોહમદ ફારુક ઇલિયાસભાઈ છરેચાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી ગત તારીખ 27/3/2024 ના રોજ પોતાનું ઘર (પ્લોટ નંબર 70, રાધા નગર-4, મેઘપર કુંભારડી, તાલુકો અંજાર) બંધ કરીને ફરિયાદીની માતા મરણ પામેલ હોવાથી મરણ વિધિમાં ગયા હતા.

ગતરોજ પરત આવીને જોતા ફરિયાદીના મકાનના મેન દરવાજાનું તાળું તૂટી ગયેલ હતું. ફરિયાદીએ ઘરની અંદર જઈને જોયું તો અંદર લોખંડના કબાટના લોકર પણ તૂટેલા હતા તથા ઘરમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ફરિયાદીએ તપાસ કરતા 86,250 ના સોના ચાંદીના ઘરેણા તથા 90 હજાર રોકડ સહિત કુલ ₹1,76,250 ની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હતા.

ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ઘરના તાળા તોડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાંથી 1.76 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ યોગ્ય કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભારતી માખીજાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.