Abtak Media Google News

મીઠું પાણી બનાવશે સૌપ્રથમ ” ડી- સેલીનેશન પ્લાન્ટ

ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક: ગુજરાત પાણીની અછત વાળુ નહીં, પુરતા પાણીવાળુ રાજય બનશે: મુખ્યમંત્રી

દરિયાના ખારા પાણીમાંથી પ્રતિદિન ૧૦ કરોડ લીટર મીઠું પીવાનું પાણી બનાવવાની ક્ષમતા ધરાવતો ગુજરાતનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જોડીયામાં કાર્યાન્વિત થશે. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેકટસ લિમિટેડ વચ્ચે આજે ગાંધીનગરમાં આ પ્રોજેકટ માટે સમજૂતિ કરાર થયા હતા.Pkif5419 મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ બની રહેશે એમ કહીને જણાવ્યું હતું કે, ગુજરાત પાણીની અછતવાળું રાજ્ય નહીં પણ પુરતા પાણીવાળું રાજ્ય બને એ માટે રાજ્ય સરકારે અનેક પગલાં ભર્યા છે. દરિયો ધરતી તરફ આગળ વધી રહ્યો છે એમ કહેવાય છે, પરંતુ દરિયાના ખારા પાણીને મીઠું બનાવીને આપણે દરિયાને પાછો ધકેલવો છે. આવનારી પેઢીને કયારેય દુષ્કાળ શબ્દ ન સાંભળવો પડે એ રીતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપણે દુકાળને ભૂતકાળ બનાવવો છે.Pkif5488

જામનગર જિલ્લાના જોડીયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડી-સેલીનેશન દ્વારા મીઠું પીવાનું પાણી બનાવવાના પ્રોજેકટ માટે આજે રાજ્ય સરકારે એમ.ઓ.યુ. કર્યા પછી આગામી દિવસોમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આ પ્રોજેકટનો શિલાન્યાસ કરાશે એવી જાહેરાત કરતાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં તામિલનાડું પછી ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જયાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેકટ શરૂ કરાશે. ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો છે, આટલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને ગુજરાતનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ કરીને ગુજરાતને જળ સલામતિ પુરી પાડવાનું મારૂં સ્વપ્ન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.