Abtak Media Google News

શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલા વિદ્યાર્થીઓનું સન્માન

સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે માર્ચ ૨૦૧૯માં આઈસીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦, ધો.૧૨ સાયન્સ-કોમર્સનું એસજીવીપીની ઝળહળતું ૧૦૦ ટકા પરીણામ આવેલ છે. જેમાં ધો.૧૦માં (આઈસીએસઈ બોર્ડ)માં શાળામાં પ્રથમ જયરાજસિંહ બારડ ૯૪.૯ ટકા, શ્યામ પાઘડાળ ૯૪.૭ ટકા, નીલ મહેતા ૯૩.૯ ટકા ધો.૧૨ સાયન્સમાં (આઈએસસી બોર્ડ)માં આદિત્યસિંઘ શેખાવત ૯૬ ટકા, ધનંજયસિંહ બારડ ૯૪ ટકા, આદિત્ય લાડ ૯૧.૫ ટકા ધો.૧૨ કોમર્સ (આઈએસસી બોર્ડ)માં આકાશ જોગીયા ૯૦.૮ ટકા, મનન નાખવા ૯૧.૨૫ ટકા, સુમિતસિંહ જાડેજા ૮૬.૫ ટકા મેળવી ઉર્તિણ થયા છે.

Advertisement

ઉપરોકત પ્રથમ, દ્વિતીય અને તૃતીય સફળ વિદ્યાર્થીઓને જયદેવભાઈ સોનાગરા તથા શાળાનાં પ્રિન્સીપાલ પદ્માકુમારે અને વાઈસ પ્રિન્સીપાલે શુભેચ્છા પાઠવી હતી. તેમજ વિદેશ સત્સંગ વિચરણ કરી રહેલ એસજીવીપી ગુરૂકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ તેમજ તમામ સફળ વિદ્યાર્થીઓને શુભાશિર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.