પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં થયેલા 11,356 કરોડ રૂપિયાના ગોટાળામાં નવમા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 30 કરોડ રૂપિયા બેલેન્સવાળા બેંક એકાઉન્ટ્સ, 13.86 કરોડ રૂપિયા મૂલ્યના શેર અને ઈમ્પોર્ટેડ ઘડિયાળોથી ભરેલા 60 કન્ટેનર જપ્ત કર્યા અને સ્ટીલના 176 કબાટ જપ્ત કર્યા છે. આ પહેલા ગુરુવારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પણ એક્શન લેવાનું શરૂ કર્યું છે. તેમણે આરબીઆઈ પાસેથી રૂ. 2000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટર્સનું લિસ્ટ માગ્યું છે. તે સાથે જ પીએનબી અને ગીતાંજલી જેમ્સ કંપનીને શો-કોઝ નોટિસ આપી છે. પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પીએનબી લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ હીરા વેપારી નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપ પર કાર્યવાહી કરી રહ્યા છે.
Trending
- CBSEની પરીક્ષા 2025થી વર્ષમાં બે વખત લેવામાં આવે તેવી શક્યતા
- મતદાનની ટકાવારી વધારવી સૌથી મોટા પડકાર
- સૌરાષ્ટ્ર માટેની ” કલ્પસર ” યોજના જન્મદાતા અનિલ કાણેનું નિધન
- પોલીસ તપાસમાં બેદરકારીએ દાઉદ ઈબ્રાહીમ ફાયરિંગના ગુન્હામાં ‘બાઇજ્જત બરી’!!
- રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં હવે 9 મેથી 23મી જૂન સુધી ઉનાળુ વેકેશન
- ઓપરેશન સાગર કવચ : દરિયાઈ સુરક્ષાને લઇ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં
- હઠીલા સિલિન્ડરના ડાઘ ફ્લોર પરથી હટતા નથી?
- આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રહિતની જગ્યાએ વ્યક્તિગત સ્વાર્થ જોયો : દિલ્હી હાઇકોર્ટ