Abtak Media Google News
  • જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રૂ. 2555 લાખના ખર્ચે 480 જેટલા વિકાસ કામો કરાશે
  • હેમુગઢવી હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રાનો યોજાયો કાર્યક્રમ

રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જિલ્લા કક્ષાનો  “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જે અંતર્ગત કુલ રૂ. 2555 લાખના કુલ 480 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને રાજકોટ વિકાસની હરણફાળ ગતિએ થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે ઉમદા કામ કરીને આયુષ્યમાન કાર્ડમાં બીજા નંબરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 12 લાખ આયુષ્યમાન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

જેના થકી સમગ્ર રાજકોટના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય સુરક્ષાનું એક અભેદ કવચ પુરું પાડવામાં આવ્યું છે. દેશના અને ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બને, આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 15માં નાણાપંચની ગ્રાંટના નાણા સીધા પંચાયત સુધી પહોંચે, ગ્રામ પંચાયત જ ગામનો વિકાસ તેમની જરૂરિયાત મુજબ થાય તેવું કાર્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ શક્ય બની શકે છે. ગઢકામાં રૂ. 500 કરોડના ખર્ચે સ્થપાનારો અમુલ પ્લાન્ટ ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારીની નવી તકો પૂરી પાડશે.

દિવાળીની શુભકામના આપીને હર્ષભેર વિવિધ વિકાસના કાર્યો વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, માત્ર વાતો અને વાયદાઓ નહી પરંતુ વિકાસલક્ષી કાર્યો કરીને વિશ્વાસ સાથે પ્રજા કલ્યાણના કાર્યો કર્યા છે. બાળક માતાના ગર્ભથી નવયુવાન બને ત્યાં સુધી તેનું સ્વાસ્થ્ય આરોગ્ય શિક્ષણ વગેરે જેવી સુવિધાઓ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી પૂરી પાડવામાં આવે છે, તેમ ડેપ્યુટી મેયરશ્રી દર્શિતાબેન શાહે જણાવ્યું હતું.

આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ  અને લાખાભાઈ સાગઠીયાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ,ગામોના સરપંચો, તલાટીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ. 6990 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી           

રાજકોટ જિલ્લાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ. 6990 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ ભેટમાં ઉમેરો કરતાં 15માં નાણાંપંચ અંતર્ગત રાજકોટ જિલ્લા અને ગ્રામીણ વિકાસને રૂ. 2555 લાખના ખર્ચે 480 કામો કરવામાં આવશે. જેમાં રૂ. 1772.06 લાખના 371 કામોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા.સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત ગામો વધુ સ્વચ્છ અને સુંદર રહે તે માટે ઘન કચરા વ્યવસ્થાપન હેઠળ કચરાનું દૈનિક કલેક્શન ઘરેથી થાય તે માટે રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના 44 ગામોમાં તાલુકા દીઠ  4 ગામોમાં બેટરી સંચાલિત ઈ-રીક્ષા માટેના ઓર્ડરો તમામ ગ્રામ પંચાયતોના સરપંચઓને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.