Abtak Media Google News

ઘરની બહાર ન નીકળવું પડે તે માટે ઘરે બેઠા સેવા ઉપલબ્ધ કરાવી: મ્યુનિ. કમિશનર

કોરોના વાઇરસને નાબુદ કરવા કેન્દ્ર સરકાર  અને રાજ્ય સરકાર દ્વારા અસંખ્ય સેવાઓ આપવામાં આવે છે. લોકોને કોરોનાથી ગભરાવાની જરૂર નથી, હિમ્મતથી કોરોનાને હરાવાનો છે. સૌ સાથે મળીને રાજકોટ શહેરને કોરોના મુક્ત બનાવી શકીશું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે શ્રેણીબધ્ધ સેવાઓ ચાલુ કરવામાં આવી છે. લોકોને સ્વાસ્થયની બાબતમાં ઘરની બહાર ન નીકળવું પડે તે માટે મનપા દ્વારા ઘર આંગણે જ સ્વાસ્થ્ય લગત સેવાઓ ઉપલબ્ધ કરાવી છે, જેના માટે ૧૩૦ થી વધુ વાહનો દ્વારા પોતાના વિસ્તારમાં અને પોતાને ઘર આંગણે સેવા ઉપલબ્ધ કરાવી છે, અને વધુ સારવારની જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે સારવાર કરાવી શકાય છે, લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું અને અન્ય લોકોના સંપર્કમાં ન આવવું તેમ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. મ્યુનિ. કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ૫૦ ધનવંતરી રથ, ૨૩ સંજીવની રથ, ૧૮ ૧૦૪ સેવા રથ અને ૩૬ થી વધુ કોવિદ ૧૯ ટેસ્ટીંગ વ્હીકલ સહીત કુલ ૧૩૦ થી વધુ વાહનો કાર્યરત છે.

મનપા દ્વારા કોરોના પોઝિટિવ દર્દી, હોમ કવોરેન્ટાઇનમાં રહેલ દર્દી, પોઝિટિવ દર્દીના સમ્પર્કમાં આવેલ લોકો, ઇમરજન્સી સારવાર, લક્ષણો ધરાવતા લોકને ઘરે બેઠા કોરોના અંગેની ટેસ્ટીંગ, રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ, હોમિયોપેથિક દવાઓ, નસ્ય સેવા, હેલ્થ ચેકઅપ સેવા, મોટી ઉમરના વ્યક્તિઓનું બી.પી.  ડાયાબીટીસ ચકાસણી, કોન્ટેક્ટ ટ્રેસિંગમાં આવેલ લોકોનું નિયમિત ચેકઅપ વિગેરે જેવી સેવા માટે વાહનો દ્વારા ઘર આંગણે ઉપલબ્ધ કરાવેલ છે.

મ્યુનિ. કમિશનરે આ સેવાઓ અંગે વાત કરાતા કહ્યું હતું કે, મનપા આપની સેવા માટે રાઉન્ડ ઘ ક્લોક ખડે પગે છે. જો આપને કોરોના અંગેના પ્રાથમિક લક્ષણો જેવા કે, શરદી, તાવ, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુર્ત જ મનપાની સેવાનો લાભ મેળવો. જરૂર જણાય તો તુર્ત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક મેળવો. જેનાથી કોરોનાને પ્રાથમિક તબક્કામાં જ હરાવી શકાય અને આપને અને આપના પરિવારને ચેપ લાગતો અટકાવી શકાય છે. લોકોએ ટેસ્ટ કરવાથી ગભરાવું નહી. જેટલું વહેલું નિદાન કરવામાં આવશે એટલી વહેલી સારવાર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.