Abtak Media Google News

અબતક,રાજકોટ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના અનીડા નવાપરા ગામે સગીરાને પિતાએ ઠપકો આપતા ઘર છોડીને નીકળી ગયેલી તરૂણી અપહરણનો ભોગ બન્યા બાદ અજાણ્યા બોલેરો ચાલકે નશાયુકત પાણી પીવરાવી બેભાન કરી જુદાજુદા સ્થળે લઈ જઈ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં રહેતી 16 વર્ષની સગીરાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના બાવળા ગામની વતની બોલેરોકારનો ચાલક ગણપત નાનજી પરમારનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.19-8ના રોજ ભોગ બનનાર બાળાને પરિવારજનોએ ઠપકો આપી પિતાએ લાફો ઝીંકી દેતા રિસાયેલી બાળા ઘર છોડીને નીકળી ગઈ હતી. અને ગામના બસ સ્ટોપ પાસે વાહનની રાહ જોઈને ઉભી હતી ત્યારે બોલેરો ચાલક ત્યાંથી પસાર થતા તેની પાસે લીફટ માંગી હતી.

બોલેરો ચાલકે લીફટ આપ્યા બાદ સગીરાને એકલીજોઈ તેની દાનત બગડી હતી અને વિસાવદર નજીક તેને પાણીની બોટલમાં નશાકારક દવા ભેળવી પીવડાવી દેતા સગીરા બેભાન બની ગઈ હતી જેને સોમનાથ નજીક લઈ જઈ સગીરા પર બોલેરોમાં જ દુષ્કર્મ આચર્યું હતુ.

ત્યારબાદ સગીરાને ભાવનગરના ઢસાની હોટલમાં અને ત્યાંથી અમદાવાદના બાવળા ગામે લઈ જઈ બાળા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ ચાર દિવસ સુધી બાળાને જુદા જુદા સ્થળે ફેરવ્યાબાદ આરોપીએ બાવળાથી બાળાને બસમાં બેસાડી દીધી હતી. ચાર દિવસની રખડપટ્ટીબાદ ઘરે પરત ફરેલી બાળાએ પોતાની આપવીતી વર્ણવતા ખાંભા પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.