Abtak Media Google News

દક્ષિણ મામલતદાર કચેરી વિસ્તાર હેઠળની સોસાયટીઓના લાભાર્થીને કબ્જા હકક અપાશે

રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુએલસી ફાજલ જમીનો પર રહેણાંક બાંધકામ કરી લેનાર આસામીઓને રાજય સરકાર દ્વારા ખાસ કાયદા તળે કબજા આપવા નિર્ણય કર્યાને પગલે અગાઉ અનેક આસામીઓને કબજા હકક આપી દેવાયા છે. ત્યારે આગામી ૧૭મીના રોજ વધુ ૨૧૧ આસામીઓને યુએલસી ફાજલ જમીન પર કરવામાં આવેલા બાંધકામને રેગ્યુલાઈઝડ કરી સનદો આપવામાં આવશે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુએલસી ફાજલ જમીનો પર ગેરકાયદેસર રીતે ઉભા યેલા બાંધકામોને રેગ્યુલાઈઝડ કરવા સરકાર દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે અને પ્રમ તબકકે રહેણાંક હેતુઓ માટે બાંધકામ યા હોય તેવા બાંધકામોને રેગ્યુલાઈઝડ કરવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત દક્ષિણ મામલતદાર કચેરીના તાબા હેઠળના વિસ્તારમાં આવેલી જુદી જુદી સોસાયટીઓના ૨૧૧ આસામીઓના બાંધકામોને રેગ્યુલાઈઝડ કરી કબજા હકક આપવામાં આવશે.વધુમાં આગામી તા.૧૭મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે છે ત્યારે દક્ષિણ મામલતદાર કચેરી અને યુએલસી વિભાગ દ્વારા આવા ૨૧૧ લાભાર્થી રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં સનદોનું વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.