Abtak Media Google News

આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓનો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ડી.જે.વોરનું આયોજન થયું હતું. જે સંદર્ભે આયોજક મિલન કોઠારીએ કહ્યું હતું કે, દર વર્ષે વેલકમ નવરાત્રીના ભાગરૂપે ડી.જે.વોરનું આયોજન કરતા હોય છીએ, જેમાં રાજકોટના તમામ ખેલૈયાઓ, જૈન સમાજ, મારવાડી સમાજ અને વિવિધ કોલેજોને આમંત્રિત કરતા હોઈ છીએ. આ પ્રથમવાર ડી.જે.વોરમાં ૩ લેડી ડી.જે.ને બોલાવવામાં આવ્યા છે. જેમાં ૨ લેડી દિલ્હી અને ૧ લેડી ઈન્ડોની હતી. સાથોસાથ બોલીવુડનાં ૨ ફિલ્મી સીતારાઓ જે વ‚ણ શર્મા અને મનજોતસિંહ લોકોને ઝુમાવ્યા હતા. આ વર્ષની નવરાત્રી જીએસટી અને મંદીમાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ જબરો જોવા મળી રહ્યો છે. મારો સંદેશ એજ છેકે નવરાબી ઉજવો નવ રંગોની જેમ સાથો-સાથ નવ રસ આપની જિંદગીમાં આવે તેવી માં જગદંબાને પ્રાર્થના કરુ છું.(તસ્વીર: રાજુ રાવલ)

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.