કેરળના કોચ્ચિન શિપયાર્ડમાં વિસ્ફોટ થતાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. હાલ તો આ વિસ્ફોટ કઈ રીતે થયો, તે અંગે કોઈ જ જાણકારી મળી નથી. જો કે પ્રાથમિક વિગત મુજબ ONGCનું સાગર ભૂષણ નામનું આ શિપ સમારકામ માટે કોચ્ચિન શિપયાર્ડ લવાયું હતું. આ દરમિયાન વોટર ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ અહીં આગ લાગી ગઈ હતી, જેના પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયાં છે. ઘટનાસ્થળે બચાવ દળના સભ્યો પહોંચી ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. તો પોલીસે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દીધો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ