Abtak Media Google News

લોકસભા ચૂંટણી પહેલા જ નક્સલીઓએ ફરી એકવાર છત્તીસગઢમાં જવાનોને નિશાન બનાવ્યા છે. છત્તીસગઢના કાંકેરમાં ગુરુવારે સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં BSFનાં ચાર જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય બે જવાન ઘવાયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અહીં હાલ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

એન્ટી નક્સલ ઓપરેશનના ડીજીઆઈ સુંદરાજ પીએ જણાવ્યું કે, ગુરુવાર સવારે નક્સલીઓની ભાળ મળી હતી. જેથી  બીએસએફ-114 બટાલિયના જવાનો સર્ચિંગ પર નીકળ્યા હતા. પંખાજૂરથી આશરે 35 કિમી દુર પ્રતાપુર વિસ્તારમાં મોહલાના જંગલોમાં જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક જવાન શહીદ થયા હતા.બાકીના ત્રણ જવાનોએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.