Abtak Media Google News

ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ‘સંપક ફોર સમર્થન’ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરના મહંત પૂજય દિલીપદાસજી મહારાજ, અતુલ લીમીટેડના મેનેજીંગ ડિરેકટર અને અરવિંદ લીમીટેડના બોર્ડ મેમ્બર એવા બહુર્મુખી પ્રતિભા ધરાવનાર સંવેશ લાલભાઈ તથા પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી સાથે મુલાકાત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિદ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી હતી, ચર્ચા-વિમર્શ કર્યો હતો.

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિત સમગ્ર દેશભરમાં ભાજપના ૪૦૦૦ આગેવાનો સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતા તેમજ જેમણે પોત પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તેવા ઓછામાં ઓછા ૨૫ વિશિષ્ટ લોકોને રુબરુ મળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષના કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ તથા સિઘ્ધિઓથી અવગત કરાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.