Abtak Media Google News

દેશમાં હાઇપર ટેન્શનના 58 લાખ દર્દીઓ છે. જેઓની હાલ સારવાર ચાલી રહી હોય, દવાની ઉપ્લબ્ધી મોટો પડકાર છે. ઉપરાંત વૈશ્વિક કક્ષાએ  30થી 79 વયના દર ત્રણમાંથી એક વ્યક્તિ હાઇપર ટેન્શનનો શિકાર છે. તેવો ડબ્લ્યુએચઓએ ધડાકો કર્યો છે.

દેશના 27 રાજ્યોમાં ભારતીય હાયપરટેન્શન નિયંત્રણ પહેલ હેઠળ જૂન 2023 સુધીમાં લગભગ 58 લાખ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના અહેવાલમાં દવાઓની ઉપલબ્ધતાને મુખ્ય પડકાર ગણાવ્યો છે.

વિશ્વમાં 30થી 79 વયના દર ત્રણમાંથી એક વ્યક્તિ હાઇપર ટેન્શનનો શિકાર

ભારતીય હાયપરટેન્શન નિયંત્રણ પહેલએ હાઈપરટેન્શન મેનેજમેન્ટ અને નિયંત્રણના માળખાને મજબૂત કરવા પુરાવા આધારિત વ્યૂહરચનાઓ દ્વારા 2025 સુધીમાં બિન-સંચારી રોગોથી મૃત્યુદરમાં 25 ટકા ઘટાડો કરવાના સરકારના ઉદ્દેશ્યને હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ પહેલ 2017 માં શરૂ કરવામાં આવી હતી અને તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારતીય તબીબી સંશોધન પરિષદ, રાજ્ય સરકારો અને ડબ્લ્યુએચઓ-ભારત સામેલ છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દવાઓની ઉપલબ્ધતા એ સૌથી મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. ડબ્લ્યુએચઓ રિપોર્ટનો અંદાજ છે કે વિશ્વભરમાં 30-79 વર્ષની વયના લગભગ એક તૃતીયાંશ પુખ્ત વયના લોકો હાઇપર ટેન્શનથી પ્રભાવિત છે.  તેમાંથી માત્ર 54 ટકા લોકોનું નિદાન થયું હતું, 42 ટકાની સારવાર ચાલી રહી હતી અને 21 ટકા લોકોનું હાઇપર ટેન્શન નિયંત્રણમાં હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.