Abtak Media Google News

તમામ મૃતકો એક જ પરીવારના હોવાથી કલ્પાંત સર્જાયો : સમગ્ર ગામમાં શોકનો માહોલ 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર નજીક સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી આવતા  તણાયા હતા. આ બાળકોને બચાવવા જતા 7 લોકો પણ ભરતીમાં તણાયા હતા. જેમા 3 બાળકો સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. ખંભાતના અખાતમાં ભરતી આવતા બાળકો તણાયા હતા.

ભરૂચના જિલ્લાના દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાગરા તાલુકાના ગંધાર સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી આવતા તણાયા હતા. આ બાળકોને બચાવવા જતા સાત લોકો પણ ભરતીમાં તણાયા હતા. જેમા ત્રણ બાળકો સહિત 6 લોકોના મોત થયા છે.

તમામ મૃતકો એક જ પરિવારના હોવાનુ સામે આવ્યુ છે. એક પરિવારના 6 લોકોના મોત થયા છે. મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો આજે દરિયાકાંઠે ન્હાવા ગયા હતા. ત્યારે એક દીકરી ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા દોડ્યા હતા. જેમા એક બાદ એક તમામ લોકો ડૂબ્યા હતા. જેમા 6 લોકોના ડૂબવાથી મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ અને પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. એક જ પરિવારના પાંચ લોકોના મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.