છેલ્લા અઠવાડિયાથી સૂરજદેવ આકરૂ રૂપ ધારણ કર્યું છે. અને તાપમાનનો પારો ઉંચકાતો ગયો ત્યારે 26 અને 27મેના બે દિવસમાં રાજસ્થાનમાં સાત સાધુ સાધ્વીજી અને મધ્યપ્રદેશમાં એક સાધ્વી શ્રમણ શ્રેષ્ઠ પૂ. ગુણવંત મૂનિજી મ.સા. પૂ. ચિરંજયમનિ મ.સા., સાધુ માર્ગી સંપ્રદાયના પૂ. સૂર્યપ્રભજી મ.સા, જ્ઞાનગચ્છ સંપ્રદાય, મંજુલાજી મ.સ., દયાશ્રીજી મ.સ., ગુજરાતી સંત હિતમુનીજી મ.સા., હર્ષલાલજી મ.સા., જીજ્ઞાસાશ્રીજી મ.સા., તથા નરેન્દ્ર મૂનિજી મ.સા., એમ કુલ 8 સાધુ સાધ્વીજી કાળધર્મ પામતા છે. દેશભરનાં જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. કાળધર્મ પામનારા અડધાથી વધુ સાધુ-સાધ્વી યુવાન વયના છે. જૈન સમાજના સાધુ-સાધ્વીજીઓ એટલા આકરા તાપ પણ ઉપાશ્રયમાં પણ પંખાનો ઉપયોગ કરતા નથી તેમજ ધમધમતા રસ્તા પર ભયંકર ગરમીમાં ગૌચરી એટલે કે જમવાની વ્યવસ્થા કરવા માટે ઘરે ઘરે જાય છે. એને કારણે તેમને લુ લાગી જાય છે. આ સ્થિતિમાં પણ જૈન સાધુ સંતો તેમના નિયમોમાં બાંધછોડ કરતા નથી છેલ્લા અઠવાડિયાથી હીટસ્ટોકથી રાજસ્થાનમાં સાત અને મધ્યપ્રદેશમાં એક જૈન સાધુ કાળધર્મ પામ્યા છે. તેનાથી સમસ્ત જૈન સમાજ દુ:ખની લાગણી વ્યકત કરે છે.
Trending
- નસીબની નોટબુકમાં આજનું પાનું કેવું હશે?
- ભારતના તબીબની મોટી સિદ્ધિ : માત્ર નવ દિવસમાં જ કેન્સરના રોગને આપી માત
- વિચાર્યું છે કે પુરુષોની હાઈટ સ્ત્રીઓથી ઉંચી કેમ હોઈ છે..??
- વકફ સુધારા કાયદાની સુનાવણીમાં સરકારે સુપ્રીમને આપ્યા જવાબ
- એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટ સિસ્ટમથી સજ્જ 2025 Kia Carens Clavis ટુંકજ સમયમાં ભારતમાં થશે લોન્ચ…
- અમરેલી : વ્યાજખોરોએ પચાવી પાડેલી જમીન પોલીસે ખેડૂતોને પરત અપાવી
- રાજ્યમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ 7,006 બાળકોને પ્રવેશ અપાયો
- જળસંચયમાં વધારો કરવા મહત્વનો નિર્ણય