Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.નો ૫૦મો જન્મોત્સવ પરમોત્સવ નામથી ઘોષિત

મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્ત્રોતનાં બ્રહ્મ ગુંજારવથી કોલકતાનું નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ગુંજી ઉઠયું

મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની દિવ્ય જપસાધના સાથે જીવદયા કરુણા અને માનવતાનાં અનેક સત્કર્યો દ્વારા ઉજવાયો હતો રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો ૪૯મો જન્મોત્સવ,માનવતા મહોત્સવ.એકસાથે ૩૮ સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે સમગ્ર કોલકાતા તેમજ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારતના અનેક જૈન સંઘના પદાધિકારીઓ, દેશ-વિદેશથી હજારો ભાવિકો ગુરુચરણમાં શુભેચ્છા વંદના અર્પણ કરવાં કોલકાતા પધાર્યાં હતાં.

પરમ ગુરુદેવના મંગલ પ્રવેશમ ભક્તિ ન્રુત્ય અને લૂક એન્ડ લર્નના બાળકો દ્વારા બાળ શૈલીમાં અંતરિક્ષમાં બિરાજમાન સિદ્ધ અને અરિહંત ભગવાન તેમજ આદ્ય ગુરુ ભગવન્તને  આ મહોત્સવમાં પધારવા માટે આમંત્રિત કર્યા હતા અને બાળકો દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીને જૈન ધર્મને સમગ્ર દુનિયામાં ફેલાવવાનાં સંકલ્પની અનોખી ગિફ્ટ અર્પણ કરિ હતી. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવના ૫૦માં જન્મોત્સવ અવસરના પ્રારંભે સમગ્ર વર્ષનેપરમોત્સવતરીકે ઉદઘોષિત કરી તેના પાવન પ્રતીકના વધામણા કરવાના લાભાર્થી પરિવાર હેતલબેન હેમંતભાઈ હરખાણી તેમજ ધ્રુવીબેન મનનભાઈ શાહ બન્યા હતાં. પૂજ્ય નવદીક્ષિત મહાસતીજીઓએ ’પરમોત્સવ’ વર્ષમાં આયોજિત થનારા શાસન પ્રભાવનાના અનુષ્ઠાનની રૂપરેખા દર્શાવતાં ૧૦ પ્રોજેક્ટ્સની સવિસ્તાર માહિતી આપીહતી. આ પ્રોજેક્ટ્સના હેડ પરમસેવકોએ પરમોત્સવનો ધ્વજ લહેરાવીને પૂજ્ય ગુરૂદેવશ્રી પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.

Whatsapp Image 2019 09 29 At 7.38.10 Pm

આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું કે, જગતનાં દરેક ’પર’ થી પર થવાની પરમ પળ આવી છે.આજના કાળમાં ૫૦ વર્ષની ઉમર થયા બાદ પણજે સંસાર પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહે છે તે પોતાના મૃત્યુની સાથે ભવ અને ભવોભવને બગાડી શકે છે. જીવનના ૫૦ વર્ષ બાદ ધીરે ધીરે પ્રવૃત્તિ ઓછી કરીને નિવૃત્તિ તરફ આગળ વધવાનો સમય હોય. આ ’પરમોત્સવ’ તે પરમની દિશા તરફ, નિવૃત્તિની દિશામાં પ્રવૃત્ત થવાનો ઉત્સવ છે.રેલવે સ્ટેશન પર આવતી ગાડીની અનાઉન્સમેન્ટ થતી હોય છે પરંતુ મૃત્યુની ગાડી અનાઉન્સમેન્ટ વગર આવે છે.

Whatsapp Image 2019 09 29 At 7.38.10 Pm 1

ત્યાર બાદ,૨૧ સંસ્થાઓને ૫૦ હજાર રૂ. ના અનુદાન આપી જીવદયા અને માનવતાનું એક મહાન કાર્ય પાર પડ્યું હતું. મહાવીર સેવા સદન સંસ્થાના પદાધિકારીઓને ગુરુભક્ત પરાગભાઈ શાહ તેમજ અજયભાઇ શેઠના હસ્તે અને જલારામ ડાયગ્નોસ્ટિક સેન્ટરના પ્રતિનિધિઓને પારસધામ ટ્રસ્ટી ગણના હસ્તે ૧૧-૧૧ લાખ રૂ.ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે, રમેશભાઈ પારેખે ગૌશાળા માટેની ભૂમિ અને ૨૧ લાખનું અનુદાન અર્પણ કર્યું હતું. સર્જન થનારી ગૌશાળાનું નામ ’શ્રીજયસુખલાલ શાંતિલાલ પારેખગૌશાળા’ ઘોષિત કરવામાં આવ્યું. સમાજ વિકાસ અને ઉત્થાનના લક્ષે તન, મન, ધનનું યોગદાન આપનારા સોહનરાજભાઈ સિંધવી, રાજુભાઈ ધોળકિયા, મિરાજભાઇ શાહ,  અશોકભાઈ તુરખીયા, હરસુખભાઈ અવલાણી,બુલબુલભાઇ શાહ, સંતોષકુમારજી દુગ્ગડ અને રમેશભાઈ પારેખને આ અવસરે ’પરમ એવોર્ડ’અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ચેન્નાઈના અનન્ય ગુરુભક્ત હિતેનભાઈ કામદાર, દ્વારા પરમ ગુરુદેવશ્રીને અહોભાવપૂર્વકઉપસ્થિત સર્વ ભાવિકો દ્વારા હ્યુમન ચેન બનાવી “મમ ગુરુદેવસ્સ આરુગ્ગ બોહીલાભમ્”ના ભાવ થી શુભેચ્છા શાલ અર્પણ કરવામાં આવી.

મંગલ કલશની ઉછામણીનો લાભ અજયભાઈ શેઠ, એકતાબેન મોદી, ભાવિબેન જોબાલીયા, માનસીબેન શાહ પરિવારે લીધો હતો. ઉપસ્થિત સહુના હૃદયની આતુરતા અને ઈંતેજારી વચ્ચે આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી આદિ સંતો -સતીજીઓના આગામી ચાતુર્માસ માટે ઘાટકોપર ક્ષેત્રની જય બોલાવવામાં આવતા જય-જયકાર ગૂંજી ઊઠયો હતો. હજારો હૃદયની શુભ ભાવના સાથે આ અવસરે ૯૯ ભાવિકોએ અત્યંત આદરભાવ અને અહોભાવ સાથે પૂજ્ય ગુરુભગવંતને ૯૯ લાડવા વ્હોરાવીને જન્મોત્સવની શુભેચ્છા ભાવના અર્પણ કરી. અંતે ઉવસગ્ગહરં માળાનો લાભ આશિષભાઇ શાહ,  હર્ષિતભાઈ તેજાણી  અને શ્રી તેજસભાઈ ટોલીયા પરિવારે લીધેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.