Abtak Media Google News

પીએનબીના 13700 કરોડના કૌભાંડના સૂત્રધાર નીરવ મોદી પાસે 6 પાસપોર્ટ હોવાનું બહાર આવ્યું છે. આથી તપાસ એજન્સીએ તેની વિરુદ્ધ વધુ એક એફઆઈઆર દાખલ કરી છે. 2 પાસપોર્ટ તો થોડા દિવસ સુધી કાનૂની રીતે માન્ય હતા. જ્યારે 4 પાસપોર્ટ સમયવધી પૂરી થતાં રદ થઈ ગયા હતા. સક્રિય એવા બે પાસપોર્ટમાંથી 1 પાસપોર્ટ પર નીરવ મોદી લખેલું હતું જ્યારે બીજા પાસપોર્ટ પર માત્ર નીરવ લખેલું હતું. આ પાસપોર્ટ પર નીરવને 40 મહિનાના બ્રિટનના વિઝા મળ્યા છે. નીરવ હાલમાં બેલ્ઝિયમમાં હોવાનું મનાય છે. આ પાસપોર્ટના આધારે જ તે પ્રવાસ કરી રહ્યો છે.

Nirav Modi

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.