જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહેલ કેદી પ્રવિણ જીણાભાઈ બાંભણીયા જાતે કોળી ઉ.૩૦ રહે સૈયદ રાજપરા તા. ઉના વાળો તા.૧૨.૨.૧૭ના રોજ વચગાળાના જામીન પર છૂટેલ હોય અને તા.૨૨.૨.૧૭ના રોજ જૂનાગઢ જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઈ છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હોય જેકામે એલ.સી.બી. ગીર સોમનાથના ટેકનીકલ સ્ટાફના હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાનાઓનુંકોલ ડીટેઈલ સર્વેક્ષણ અને આગવી સુઝબુઝનાકારણે માલુમ પડેલ કે આ કામનો ફરાર કેદી મુંબઈ તથા થાણેના ભિવંડી ખાતે હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કોડના એએસઆઈ વી.જી. પરમાર તથા પો.હેડ કોન્સ. જોધુભા તથા એલ.સી.બી.ના પો.કોન્સ. કનકસિંહ કાગડાનાઓ મુંબઈમાં દહીંસર તથા થાણેના ભિવંડી ખશતે તપાસ કરતા ભિવંડી ખાતે આ કામનો આરોપી સ્ટેશનરીની દુકાનમા કામ કરતો હોય ત્યાંથી દબોચી લઈ જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
Trending
- ફળો અને શાકભાજીની છાલમાં જ પોષકતત્વોનો ખજાનો
- એ એ એ…ધડામ, બંગાળના CM ફરી એકવાર ઘાયલ થયા
- સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો
- માળામાં ” 108 ” મણકાનું રહસ્ય શું ?
- કતખાનામાં પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા NGOનો હાઇકોર્ટમાં ઘા
- આપઘાત કરી રહેલી માતાનો સાત વર્ષની બાળાએ જીવ બચાવ્યો !!!