જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. સૌભાગ્યવતી બહેનો આજે વહેલા ઉઠી, શિવાલયમાં જઈ શિવ-પાર્વતીની પુજા કરી હતી. આજથી પાંચ દિવસ બહેનો મીઠા વગરનું ગળપણ વગરનું ભોજન લેશે.આપણા શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલા છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ-સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. જયા પાર્વતીનું સૌપ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. આ વ્રત દરમ્યાન ભગવાન શંકર પાર્વતીની પુજા કરી તેમના નામ સ્મરણ કરવા, સદગુણી અને સંસ્કાર પતિ મેળવવા કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે. જે ઘરમાં બાલિકાઓ અને સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ-ઉલ્લાસથી ભરાઈ જાય છે. આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. રવિવારે વ્રત કરનારી બહેનો જાગરણ કરશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો