Abtak Media Google News

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલીત  વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩ નાં આચાર્યા વનિતાબેન રાઠોડને પોરબંદર ખાતે પૂજ્ય આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં હસ્તે ગુરુ પૂર્ણીમાની પૂર્વ સંધ્યાએ સન્માનિત કરાયા હતા. વનિતાબેન રાઠોડને શાળામાં કરેલ ઈનોવેટીવ કાર્ય બદલ સાંદિપની દ્વારા ભાવપૂજન કરાયું. પરમવંદનિય પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી માનનિય ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મ અનિલ ગુપ્તા, શિક્ષણવીદ  ગિજુભાઈ ભરાડ વગેરેની હાજરીમાં  સાંદિપની ગુરુગૌરવ એવોર્ડ અર્પણ કરાયો. વનિતાબેન રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય કક્ષાનાં ઈનોવેટીવ શિક્ષક તરીકે પસંદ થયા છે. સાંદિપની ગુરુ એવોર્ડ મળ્યા બદલ શાશનાધિકારી દેવદતભાઈ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, કેળવણી નિરીક્ષક  ડો.પૂર્વીબેન ઉચાટે વનિતાબેન રાઠોડને અભિનંદન પાઠવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.