Abtak Media Google News
માનસિક બીમાર તરૂણીએ કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત: પરિવારમાં કલ્પાંત

અબતક રાજકોટ

પોરબંદરના મોઢવાડ ગામે રહેતા માલધારી પરિવારની સગીર પુત્રીએ કેરોસીન છાંટી જાત જાળવી લેતા પરિવારમાં કાળો કહેર વરસી રહ્યો છે. મૃતક તરુણી માનસિક રીતે બીમાર હોય જેના કારણે આપઘાત કર્યાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર તાલુકાના મોઢવાડ ગામે રહેતા માલધારી સુધાભાઈ મોઢવાણીયાની 14 વર્ષની પુત્રી જયશ્રી મોઢવાણીયાએ ગઇ કાલે સાંજે 5/30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી લેતા તેણીને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ પ્રાથમિક સારવારમાં જ જયશ્રીએ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.આ બનાવ અંગે જાણ થતાં બગવદર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથઘરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ જયશ્રી ધોરણ 9માં નાપાસ થઈ હતી. તે છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીથી પીડાતી હોવાથી તેણીએ અગન પછેડી ઓઢી લીધાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.