Abtak Media Google News

લોકશાહીમાં લોક ડાયરાઓનું મહત્વએ સમયે એ હતું કે, જેના માઘ્યમથી લોક જાગૃતિ લાવવાનું અને હસવાનું હતું એજ રીતે લોકશાહીમાં લોક જાગરણનું કામ લોકડાયરા દ્વારા થાય તેવા હેતુથી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ દ્વારા આજે સાંજે ૮ થી૧ર કલાક સુધી સાધુ વાસવાણી રોડ ગોપાલ ચોક ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લકો હંસાપરામાં સુખદેવભાઇ ધામેલીયા, હરદેવભાઇ આહીર અને સમીરભાઇ કોટા હાસ્યની છોળો ઉડાડશે. જેમાં જશવંતસિંહ ભટ્ટી, અમીતભાઇ ભાણવડીયા અને વિજયભાઇ માકડીયા સહીતના મહાનુભાવો  લોક ડાયરાની મજા માણશે. આ આ અંગે જશવંતસિંહ ભટ્ટી, વિજય આહીર, કેતન ભટ્ટ, પરાગ મકવાણા, અશ્ર્વિન ડાંગર, મનિષ પટેલ, મનસુખ વેકરીયા, મુકેશ કાલાવાડીયા પોપટ પટેલ અને હેમંત વિરડા સહીતના એ અબત મિડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.