Abtak Media Google News

સંસ્થાની ૧૬મી વાર્ષિક સામાન્ય સભા પ્રસંગે આયોજન: ભારત સોને કી ચિડીયા વાર્તાલાપ યોજાશે

ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા આગામી ૧૮મીએ એવોર્ડ વિનર મહાનુભાવોના સન્માન સમારોહનું ડો.રાધાક્રિષ્ન રોડ ખાતે આવેલા કાઠીયાવાડ જીમખાના હોલમાં આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ભારતીય અર્થતંત્રની ગઈકાલ-આજ-આવતીકાલ વિષયે ભારત એક સોને કી ચિડીયા વાર્તાલાપ પણ યોજાશે. આ અંગે વિસ્તૃત વિગત આપવા ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા, મંત્રી ઈશ્ર્વરભાઈ બાંભરોલીયા, ડાયરેકટર મયુરભાઈ શાહ અને રમેશભાઈ ઝાલાવડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ૧૭ વર્ષ પૂર્ણ કરી ૧૮માં વર્ષમાં કાર્યરત છે ત્યારે ૧૬મી વાર્ષિક સામાન્ય સભા પ્રસંગે તા.૧૮ને શનિવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે કાઠીયાવાડ જીમખાના હોલ, ડો.રાધાક્રિષ્ન રોડ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૌરવ પ્રાપ્ત મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. સાથે ભારતીય અર્થતંત્રની ગઈકાલ-આજ-આવતીકાલ વિષયે ભારત એક સોને કી ચિડીયા વાર્તાલાપ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.