Abtak Media Google News

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની અનેક પ્રવૃતિઓને આયોજન વચ્ચે પવિત્ર શ્રાવણ માસમાં મહેશ્ર્વરી માતા-રતનપર તથા સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહેલ ૬૦ જેટલી વૃદ્ધ માતાઓ તથા શહેરની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના બાળકો માટે વિરપુર (જલારામ) તથા ખોડલધામના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રવાસ દરમ્યાન વૃદ્ધ માતા અને ચા/નાસ્તો તથા બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવેલ હતો.

પ્રવાસને આર.ટી.ઓ. ઈન્સ્પેકટર જે.વી.શાહે લીલીઝંડી આપી હતી. જયારે સંપૂર્ણ પ્રવાસનું આયોજન લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ભારતીબેન નથવાણીના માર્ગશર્દન અને આગેવાની અને ઈન્વોલમેન્ટ હેઠળ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.