સોમનાથ મહાદેવને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટીને સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે ગઈકાલે સોમનાથ મહાદેવને ફૂલો તથા સુકામેવાનો અદ્વિતિય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ શ્રૃંગારની ઝાંખી મેળવી ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.૧૨ જયોતિલીંગ પૈકીની પ્રથમ સોમનાથ મહાદેવ ખાતે દરરોજ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે. તેવામાં શ્રાવણ માસ નિમિતે ભાવિકોનું મહેરામણ ઉમટે છે. લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર સમા સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિતે મહાદેવને અલૌકીક શ્રૃંગારથી સજાવવામાં આવે છે.આ શ્રૃંગારની ઝાંખીના દર્શન કરી દરરોજ ભાવિકો ધન્યતા અનુભવે છે. તેવામાં ગઈકાલના રોજ સોમનાથ મહાદેવને ફૂલો અને સુકામેવાનાં શ્રૃંગારથી શણગારવામાં આવ્યા હતા. આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
Trending
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે