Abtak Media Google News

સ્યૂસાઈડ નોટમાં લખ્યું: ‘PSIની નોકરી થાય તેમ નથી, મને માફ કરશો’

સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટમાં પીએસઆઇએ લખ્યું છે કે, PSIની નોકરી થાય તેમ નથી, મને માફ કરશો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. અને આ મામલે તપાસ હાથ ધરી છે.

Advertisement

વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એસ.જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જેને પગલે વડોદરા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.