ચોટીલા ખાતે ઘરેથી ભાગીને આવેલો અજાણ્યો કિશોર મળી આવતા પોલીસે બાળકની પુછપરછ આદરી હતી જેમાં તેનું નામ પુછતાં પોતાનું નામ ગોવિંદભાઈ બચુભાઈ ભરવાડ (ઉ.વ.૧૬) હોવાનું અને ખંભાત ખાતે એચ.કે.વાઘેલા સ્કુલ ખાતે ધો.૧૧માં અભ્યાસ કરે છે ત્યાંથી ભાગીને આવેલા અને કોઈને કહ્યા વગર ટ્રાવેલ્સની બસમાં બેસી ચોટીલા દર્શન કરવા આવતો રહેલ હોવાનું જણાવેલ હતું. દરમ્યાન ચોટીલા પોલીસ દ્વારા બચુભાઈ રાજાભાઈ પરમાર (ઉ.વ.૩૨, રહે.ગુડેલ, તા.ખંભાત જી.આણંદ) મો.નં.૯૦૯૯૬ ૫૧૦૨૧નો સંપર્ક થતા પોતાનો દિકરો ગુમ થયા અંગે શોધતા હોવાનું જાણવા મળતા પોલીસ સ્ટેશન બોલાવી ગુમ થયેલ દિકરાને સોંપવામાં આવેલ. પોતાની ગુમ થયેલ દિકરો આખો દિવસની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા પરીવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
Trending
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે
- નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે એડવાન્સ ફી વસૂલતિ અમદાવાદની શાળાને નોટિસ