Abtak Media Google News

પોલીસ સ્ટાફે એસઓજી બ્રાન્ચમાં નિયુકત થયેલા એન.એમ. રાણાનું ભેટ આપી સન્માન કર્યુ

જેતપુર સિટી પોલીસ મથકે પી.આઈ તરિકે ફરજ બજાવતા એમ.એન.રાણાની એસ.ઓ.જી.બ્રાન્ચ માં બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.આ કાર્યક્રમ માં શહેરના આગેવાનો તેમજ પત્રકારો ઉપસ્થિક રહ્યા હતા.ટૂંકા સમય દરમિયાન એક સારા અને બાહોશ અધિકારી તરીકે રાણા સાહેબ ઉભરી આવ્યા હતા.

Advertisement

શહેર માં અનેક ગુન્હોઓ તેમને ટૂંકા ગાળા માં ડિટેક્ટ કર્યા અને મહત્વ ની બાબતો માં અમુક ગુનાહ થાય તે પહેલાં તેમણે અટકાવ્યા હોઈ તેવા અનેક ઉદાહરણો શહેરના પ્રતિષ્ઠ લોકો દ્વારા આપવામાં આવ્યા હતા.

ગામ લોકો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા યાદગાર ભેટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પી.આઈ રાણા એ તેમને જે કાંઈ કામગીરી કરી છે તેમાં તેમનો પોલીસ સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હોય અને તમામ શ્રેય તેમના કર્મચારીઓ ને આપ્યો હતો

જયારે નવ નિયુક પી.આઈ.વી.આર.વાણીયા એ લોકો ને ખાતરી આપી હતી કે શહેરમાં તેમના દ્વારા લોકો સાથે મળી શહેરમાં ગુનાખોરી અટકાવી કાયદો વ્યવસ્થા જાળવામાં કોઈ કચાસ છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.