Abtak Media Google News

અનુસુચિત જાતિ, જનજાતિના પ્રમોશનને લઈ સુપ્રીમનો નિર્ણય

સુપ્રીમ કોર્ટમાં આજે અનુસુચિત જાતિ, જનજાતિના પ્રમોશન અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૨૦૦૬નો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે પ્રમોશનમાં આરંક્ષણ મામલે ૨૦૦૬માં ફેંસલો લીધો હતો જેને નાગરાજ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિઝર્વેશનમાં અનુસુચિત જાતિ, જનજાતિના લોકોને પ્રમોશન મળશે કે કેમ આ અંગેની વધુ તપાસ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં અનુસુચિત જાતિ, જનજાતિના કવોટા હેઠળ લાખો લોકો નોકરીયાત છે. ૨૦૦૬માં પાંચ જજોની બેઠકમાં જસ્ટીસ વાય.કે.સબ્રવાલ, કે.જી.બાલક્રિષ્ન, એસ.એચ.કાપડીયા, સી.કે.ઠકકર અને પી.કે.બાલાસુબ્રમણ્યમ દ્વારા આ ફેંસલો લેવાયો હતો ત્યારે સામે આવ્યું હતું કે, એસસી/એસટી અનુસુચિત જનજાતિના લોકો પણ અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો કેટલાક લોકો હજુ પણ બેરોજગારી અને સામાજિક શોષણનો ભોગ બને છે. આજે પણ દેશમાં જ્ઞાતિ-જાતિ તરીકેનો ભેદભાવ જોવા મળે છે ત્યારે સુપ્રીમ કોર્ટે ૨૦૦૬ના નિર્ણયને યથાવત રાખવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.