Abtak Media Google News

સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર પર્યટન ધામ બની ગયું છે.

ત્યારે ગુજરાત રાજયના પ્રભારી ભુપેન્દ્રભાઈ યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ર્માં ખોડલને શિશ ઝુકાવવા કાગવડ આવ્યા હતા. કાગવડ ખાતે ખોડલધામ મંદિર પરીસરમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે અગ્રણીઓનું સ્વાગત કર્યું હતુ.

Advertisement

નરેશભાઈએ ખોડલધામ ટ્રસ્ટે કરેલી કામગીરી અને મંદિર પરીસરમાં આવેલા અલગઅલગ વિભાગોની માહિતી આપી હતી. અને આગામી દિવસોમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રોજેકટ અંગે ચર્ચા કરી હતી. ગુજરાત રાજયના પ્રભારી ભુપેન્દ્રભાઈ યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ મંદિરમાં થયેલી કોતરણી જોઈ ટ્રસ્ટે કરેલી કામગીરીને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.