બાલભવન દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે અર્વાચીન દાંડિયારાસનું એક અદકેતરું આયોજન કરી નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સાઝ ઔર અવાજ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે બાળકો ધુમ મચાવે છે. ૫ થી ૧૦ વર્ષનું એ-ગ્રુપ અને ૧૧ થી ૧૬ વર્ષનું બી ગ્રુપ મળી રોજના કુલ ૫૦ બાળકો તથા ડેઈલી પાસના ૫ બાળકો સહિત કુલ ૫૫ બાળકોને ઈનામોથી નવાઝવામાં આવ્યા હતા. વિજેતા બાળકોને મુખ્ય મહેમાનો ગાયત્રીબા વાઘેલા, પ્રાદેશિક કોંગ્રેસ પક્ષ પ્રમુખ સ્મીતાબેન ઝાલા, રેણુકાબેન ઠકકર, નયનાબેન ભટ્ટના હસ્તે ઈનામો આપી નવાઝવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે જીજ્ઞાબેન પુજારા, હેતાબેન ચૌહાણ, હિનબેન પીઠડીયા તથા પ્રાચીબેન કોટકે સેવા આપી હતી.
Trending
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા
- વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટની કાયાપલટની કામગીરી પૂર્ણતાના આરે
- ચારધામ યાત્રાને લઇ સરકારે ગાઈડલાઈન કરી જાહેર
- ચીને બાંગ્લાદેશ સાથે નિકટતા વધારી : ભારતની ફરતી બાજુ મિત્રો ગોઠવવાનો વ્યૂહ
- 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનું વધુ એક કન્સાઈમેન્ટ ઝડપાયું : 173 કિલો ડ્રગ્સ કબ્જે
- ભુજ : નજીવી બાબતમાં બોલાચાલી થતાં 2 વ્યક્તિએ એસિડ દ્વારા હુમલો કર્યો
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન