જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ કાલે ગીતા જયંતિના રોજ ભગવદ્ ગીતાનો ગુંજારવ અને માનવ સેવાના ૫૩ વર્ષોની સેવાયાત્રા પૂર્ણ કરીને ૫૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે છેલ્લા ૫૩ વર્ષોથીગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર,સંસ્કૃત પ્રચાર, નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, નિ:શુલ્ક નિદાન,સારવાર કેમ્પ, રાહત દરે નોટબુક વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, સાર્વજનિક વાચનાલય, પુસ્તક મેઇ, મેડિકલ સાધન સહાય, જ્ઞાનયજ્ઞ, બાળ મજુરી નાબુદી અભિયાન, વ્યસનમુકિત વગેરે સેવા પ્રવૃતિઓનું નિયમિત પણે સંચાલન થાય છે. ગીતા વિદ્યાલય-ગીતા મંદિરના ૫૪માં વર્ષમાં પ્રવેશ સમયે છેલ્લા ૫૩ વર્ષો દરમ્યાન મળેલા સહકાર બદલ સૌ દાતાઓ, શુભેચ્છકો પ્રત્યે ઋણ સ્વિકાર સાથે આભારની લાગણી ગીતા વિદ્યાલયના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાએ વ્યકત કરી છે.
Trending
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક