Abtak Media Google News

એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં તાજેતરમાં હેડ ક્રિટીકલ કેર મેડીસીન તરીકે ડો.ચિરાગ માત્રાવડિયા જોડાયેલ છે. ડો.ચિરાગ માત્રાવડિયાએ એમ.બી.બી.એસ.ની ડિગ્રી બી.જે.મેડિકલ કોલેજ,અમદાવાદ અને એમ.ડી. (ઈન્ટરનલમેડીસીન)ની ડિગ્રી શેઠ કે.એમ.સ્કુલ ઓફ પોસ્ટ ગ્રેજયુએટ મેડીસીન એન્ડ રિસર્ચ, અમદાવાદથીમેળવેલ છે. તેઓ એકસપર્ટ ઈન્ટેન્સીવીસ્ટ છે અને ક્રિટીકલ કેર ક્ષેત્રે ઈન્ટેન્સીવીસ્ટ તરીકે મુંબઈની જાણીતી મેડિકલ ઈન્સ્ટીટયુટ ખાતે તાલીમ આપેલ છે.

ડો.માત્રાવડિયા ક્રિટીકલ કેર ક્ષેત્રે ૨૦ વર્ષનો બહોળો અનુભવધરાવે છે. તેમના આ કાર્યક્ષેત્રમાં તેમણે મુંબઈ સ્થિત લીલાવતી અને જસલોક જેવી ખ્યાતનામ હોસ્પિટલમાં ક્રિટીકલ કેરમાં કામ કરવાનો વિશાળ અનુભવ મેળવેલછે. ડો.ચિરાગ માત્રાવડિયા સૌરાષ્ટ્ર-કચ્છ રિજીયનમાં મોર્ડન ક્રિટીકલ કેરની શરૂઆતના પાયાના પથ્થર છે.ઈન્ડીયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીન દ્વારા ચલાવવામાં આવતા ઈન્ડીયન ડિપ્લોમાં ઈન ક્રિટીકલ કેર મેડીસીન નામના સર્ટીફીકેટ કોર્ષ તથા પુના સ્થિત કોલેજ ઓફ ક્રિટીકલ કેર મેડીસીન દ્વારા ચાલતા એક વર્ષના ક્રિટીકલ કેર સર્ટીફીકેટ કોર્ષના તેઓ કોર્ષ ડાયરેકટર છે. ડો.ચિરાગ માત્રાવડિયા ક્રિટીકલ કેર એજયુકેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર તથા ઈન્ડીયન સોસાયટી ઓફ ક્રિટીકલકેર મેડીસીનના લાઈફ મેમ્બર છે. ડો.ચિરાગ માત્રાવડિયાની એપોઈન્ટમેન્ટ અને રજીસ્ટ્રેશન માટે હોસ્પિટલનાં ફોન નં.૦૨૮૧-૬૬૯૪૨૪૪ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલની યાદીમાં જણાવવામાંઆવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.