Abtak Media Google News

એક બાળક સહિત બેના મોત

    ધ્રાગધ્રા પંથકમા છેલ્લા બે દિવસમા બે અકસ્માતની વિગતો જાણવા મળી છે જેમા પ્રથમ ધ્રાગધ્રા-માલવણ હાઇવે પર આવેલા દુદાપુર ગામ પાસે અમદાવાદ તરફ પરીવારના સભ્યો લગ્નમા જતી વેળાએ કાર ચાલક પ્રવીણભાઇ પોતાની ઇનોવા કાર જીજે ૧૨ સીજી ૬૯૪૮વાળી પર અચાનક કાબુ ગુમાવતા કાર પલ્ટી ગઇ હતી જેમા કાર ચાલક પ્રવીણભાઇ પટેલના પત્નિ ભાવનાબેનને ગંભીર ઇજાઁઓ થતા સારવાર દરમમિયાન મોત નિપજ્યુ હતુ.

   જ્યારે અન્ય બનાવમા સોમવારના રોજ ધ્રાગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી પેસેન્જર ભરીને આવતી રીક્ષા નરાળી ગામ પાસે પહોચતા અચાનક રોડ વચ્ચે સ્કુલે જતો બાળક ઉતરતા રીક્ષા ચાલકે બ્રેક કરતા રીક્ષા પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી રીક્ષા પલ્ટી ખાઇ જતા રીક્ષાની નીચે વચ્ચે ઉતરેલુ બાળક દબાઇ ગયુ હતુ. આ તરફ રીક્ષા પલ્ટી થતા અંદર બેઠેલા આઠ પાસેન્જરોને નાની મોટી ઇજાઁ થઇ હતી જ્યારે સાત વષઁના બાળક સતવીર કેશરભાઇ આદિવાસી રહે:- નરાળીનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.

રીક્ષા પલ્ટી જતા લાભુભાઇ રાયસંગભાઇ, ચમનભાઇ મંગાભાઇ, મનસુખભાઇ કેસાભાઇ, બેબીબેન લાલજીભાઇ, લીલીબેન પ્રભુભાઇ, દુદાભાઇ અમરશીભાઇ, ચમનભાઇ માવજીભાઇ, જયા ચંદુભાઇ ઈજાગ્રસ્ત પામ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.