Abtak Media Google News

આપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ

આમ આદમી પાર્ટીના બુરાડી વિસ્તારના એક ધારાસભ્ય સંજીવ ઝાએ કપિલ મિશ્રા સામે પોતાના અનશન શરૂ કર્યા છે. સંજીવ ઝાની માગણી છે કે કપિલ મિશ્રાએ રૂ. બે કરોડની લાંચ લેવાનો અરવિંદ કેજરીવાલ પર જે આક્ષેપ કર્યો છે તેના પુરાવા રજૂ કરે.

તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી કપિલ મિશ્રા પુરાવા નહીં આપે ત્યાં સુધી તેમના અનશન જારી રહેશે. સંજીવ ઝા પહેલાં રાજઘાટ ગયા હતા અને ત્યાર બાદ ૧૧.૦૦ વાગ્યાની આસપાસ અનશન શરૂ કર્યા હતા.આપ નેતાઓના વિદેશ પ્રવાસોની વિગતો જાહેર કરવાની માગણીને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા કપિલ મિશ્રા એસીબીની ઓફિસ પર ગયા હતા અને અધિકારીઓને ટેન્કર કૌભાંડ અંગેના પુરાવા સુપરત કર્યા હતા.આ અગાઉ કપિલ મિશ્રાએ એવું જણાવ્યું હતું કે તેમની પાસે વધુ કેટલીક માહિતી આવી છે અને રવિવારે તેઓ એક મોટો ધડાકો કરશે. કરાવલનગરના ધારાસભ્ય મિશ્રાએ જણાવ્યું છે કે આપ નેતાઓના વિદેશ પ્રવાસોની જાણકારી જાહેર કર્યા બાદ જ તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.