Abtak Media Google News

૯મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હરિ વાલાના તબિયતના ખબર અંતર પુછશે

પૂર્વ કોર્પોરેટર અને ભાજપના અગ્રણી હરી વાલા ડાંગરને આજથી ૧૨ દિવસ પૂર્વે બ્રેઈન હેમરેજ થતા તાત્કાલિક શહેરની સિર્નજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળી જતા તેઓને તબિયત હાલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.

તાજેતરમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાએ ખબર અંતર પુછયા હતા. દરમિયાન આગામી ૯મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૂબરૂ હરી વાલાની ખબર કાઢવા માટે આવશે. બે દિવસમાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે તેમ તેઓના પુત્ર શૈલેષભાઈ ડાંગરે જણાવ્યું હતું.Img 20190204 Wa0078

ભાજપ અગ્રણી હરીભાઈ વાલાભાઈ ડાંગરને બ્રેઈન હેમરેજની અસર જણાતા હાલ તેઓ સિર્નજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા તેઓના અંગત સચિવ તેજસભાઈ ભટ્ટી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરિયાએ હોસ્પિટલ જઈ તેઓના ખબર અંતર પુછયા હતા.

આગામી ૯મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ખબર અંતર પુછવા માટે રૂબરૂ આવવાના છે. શહેર ભાજપના નેતાઓ સતત ખડેપગે છે. આગામી બે દિવસમાં હરી વાલા ડાંગરને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.