Abtak Media Google News

પડધરીની સરકારી વિનયન અને વાણીજય કોલેજમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજનાં પ્રિન્સીપાલને આવેદન પાઠવ્યું હતુ.

Advertisement

આવેદનમાં એબીવીપીના નગરમંત્રી શકિતરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે સરકારી કોલેજમાં બેંચ પૂરતા પ્રમાણમાં ન હોવાથી વિદ્યાર્થીઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

જેના કારણે વિદ્યાર્થીઓને બેસવામાં મુશ્કેલી પડે છે. ત્યારે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. કે તાત્કાલીક ધોરણે સરકારી કોલેજમાં બેંચ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.