રાજકોટથી મુંબઈ દરરોજ સાંજે 5 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઈટનું નિયમિત સંચાલન થાય છે, પરંતુ મુંબઈમાં દોઢેક મહિના સુધી રન-વેનું મેન્ટેનન્સ કામ ચાલવાનું હોય રાજકોટ-મુંબઈ સાંજની ફ્લાઈટને અસર થઇ છે. આગામી તારીખ 31 માર્ચ 2019 સુધી રાજકોટથી દરરોજ સાંજે 5 કલાકે મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ મંગળવારે, ગુરુવારે અને શનિવારે ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.જેના કારણે મુંબઈથી 4 કલાકે રાજકોટ આવવા માટે ટેકઓફ થતી એર ઇન્ડિયાની ફ્લાઈટ આગામી 31 માર્ચ સુધી મુંબઈથી ટેકઓફ નહીં થઇ શકે.આથી રાજકોટથી પણ આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરુ અને શનિવારે રદ કરવામાં આવી છે. રન-વેની કામગીરી પૂર્ણ થયા બાદ ફરી આ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
Trending
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
- ડીપફેકથી ભયાનક પરિણામો આવી શકે!