Abtak Media Google News

બાબરાના કરીયાણા રોડ પર 2 બાઈક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની વિગત અનુસાર કાર ચાલકે 2 બાઈકસવારોને અડફેટે લીધા હતા. જેમાં એકને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બાઈક પર સવાર 2 સગા ભાઈના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

ડાયાભાઈ મનજીભાઈ જાદવ અને નરસિંહભાઈ મનજીભાઈ જાદવ બેંકનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ભાઈનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ કારચાલક નાસી ગયો હતો. હાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.