Abtak Media Google News

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું લાંબી માંદગી બાદ રવિવારે સાંજે નિધન થયું છે. રવિવારે સાંજે સીએમ ઑફિસે તેમની તબિયત અત્યંત નાજૂક હોવાની પુષ્ટી કરી હતી. આ પછી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા અને તેમને પેનક્રિયાનુ કેન્સર હતું. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર આજે પણજીમાં સાંજે 5 વાગે રાજકીય તેમજ સૈન્ય સન્માનથી કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પણજી પહોંચીને મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન પણ હાજર રહ્યા. રક્ષા મંત્રીએ પણ પર્રિકરને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદી શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ ઘણા સમય સુધી મનોહર પર્રિકરના પરિજનો સાથે વાતચીત કરીને તેમને સાંત્વના આપતા રહ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.