શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘ મહેતા જૈન ઉપાશ્રયે પૂ. શ્રી ધીરગુરુદેવે પ્રવચનમાં ૬૫ વર્ષના દીક્ષા પર્યાયધારી બા.બ્ર. પૂ. જયોત્સ્નાબાઇ મ.સ. ના ચતુર્થ દિવસના સંથારાની અનુમોદના કરતા જણાવેલ કે શૂરવીર બન્યા વિના સંથારા થઇ શકે નહિ સહજાનંદી શુઘ્ધ સ્વરુપ અવસ્થામાં મહાસતીજી ઝુલી રહ્યા છે. પૂ. નર્મદાબાઇ મ.સ., ૫ૂ. પુષ્પાબેન મ.સ., પૂ. જયોતિબાઇ મ.સ., પૂ. સોનલબાઇ મ.સ., પૂ. હસ્મિતાબાઇ મ.સ., આદિ પૂ. પુનિતાજી મ.સ., આદિ તથા બોટાદના પૂ. અરુણાબાઇ મ.સ. આદિ વૈયાવચ્ચમાં સહભાગી છે. સંથારા યાત્રા અનુમોદનનો ભાવિકો લાભ લઇને ધન્ય બની રહ્યા છે. પૂ. અમિતાજી મ.સ. એડનવાલા આરાધના ભવનમાં પધાર્યા છે.પૂ. શ્રી ધીરગુરુદેવે ગોરૈયા તરફ વિહાર કરેલ છે. સંથારાના દર્શનાર્થીઓને સવારે ૮ થી ૧ અને બપોરે ૪ થી ૭ લાભ લેવા અનુરોધ કરાયો છે.
Trending
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
- ડીપફેકથી ભયાનક પરિણામો આવી શકે!
- પતિના મૃત્યુ બાદ વીમાના એક કરોડ હાથવગા કરી વિધવાને સાસુ-સસરાનો ત્રાસ
- અગરબત્તીમાંથી નિકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ ખતરનાક
- ચૂંટણીનો થાક હજુ ઉતરતો નથી: જનરલ બોર્ડમાં 14 કોર્પોરેટરો ગેરહાજર
- સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશમાં વિલંબ: હેલ્પ ડેસ્ક ક્યારે શરૂ થશે?
- Infinix ગેમિંગ જગતમાં ધૂમ મચાવા તૈયાર…