Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૦ જૂનના રોજ મુખ્યમંત્રી રૂપાણીના પ્રવાસ અંગે જિલ્લા કલેકટર કચેરી ઈણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

Advertisement

આગામી ૧૦ જૂનના રોજ મુખ્યમંત્રી રૂપાણી સોમનાથ મંદિર ખાતે પુજા અર્ચના કરશે. નગરપાલિકા દ્રારા તૈયાર થયેલ સ્પોર્ટસ સંકુલનુ લોકાપર્ણ કરશે અને ખારવા સમાજના સમુહલગ્નમાં હાજરી આપશે.

કલેકટર અજય પ્રકાશે સલામતિ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, મુખ્યમંત્રીની રાત્રિ રોકાણ વ્યવસ્થા-દર્શન વ્યવસ્થા ભોજન વ્યવસ્થા, અંગે સંબધીત અધિકારીઓને સુચના આપી હતી. આ બેઠકમાં અધિક કલેકટર એચ.આર.મોદી જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર મામલતદાર આંબલીયા સહિતના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.