ડીજીપી દ્વારા એક પરિપત્ર જાહેર કરાઈ લોકલ ક્રાઈમ બ્રાંચની કામગીરી તથા તેમાં નિમણૂકને લઈ કેટલીક રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઢીલા-અપરિપક્વ અધિકારી કે કર્મચારીને જીલ્લા ક્રાઈમ બ્રાંચમાં નહીં મકી શકાય.તમને જણાવી દઈએ કે, જીલ્લાના પોલીસ દળમાં લોકલ ક્રાઇમ બ્રાંચ ખૂબ મહત્વની એજેન્સી ગણાય છે. સૌથી વધુ મોભો ધરાવતી આ બ્રાંચની કામગીરી અંગે આજ સુધી કોઇ સ્પષ્ટ રૂપરેખા હતી નહીં. તેવી જ રીતે આ બ્રાંચમાં જીલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂંક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટે ભાગે જીલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું. પરંતુ આ બાબત ચલાવી ન લેવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજ રોજ એક ખાસ પરિપત્ર બહાર પાડીને જીલ્લાની એલ.સી.બી.ની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂંક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવી છે.
Trending
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ
- Appleઆ વર્ષના 2 મોટા ઇવેન્ટમાં AIનો સમાવેશ કરશે ???
- આળસ ન કરતા, મતદાન કરજો…!
- દુર્લભ બીમારી પ્રોજેરિયાની સારવાર માટે “Zydus”ની બાયોફાર્મા કંપનીને અધિકારો મળ્યા
- આ હાવભાવથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરમાં કેટલો કંટ્રોલ છે
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે