Abtak Media Google News

નગરપાલિકા દ્વારા તાત્કાલીક અસરથી પાણીનો ફુટવાલ લગાવાયો

સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ છેલ્લા અનેક દિવસો થી સારો એવો વરસાદ જિલ્લા માં નોંધાયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના જળાશયો માં નવા નીર ની પુષ્કાળ આવક થઈ છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા નો ધીલીધજા ડેમ પહેલા થીજ પાણી થી ભરેલો હતો.

અને નવી પાણી ની આવક આવતા ધોળી ધજા ડેમ માં પાણી ની સપાટી વધી છે.ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર ઘોળીઘજા ડેમ ઉપર પાણી નો ફુટવાલ  દોરડુ તુટી જતાં તણાઈ ગયો હતો. ત્યારે પ્રજા ને પાણી ની તકલીફો નો સામનો ન કરવો પડે તે માટે નગરપાલિકા દવારા તાત્કાલિક અસરથી પાણી નો ફૂટવાળ લગાવવા માં આવીયો હતો.

ઘોળીઘજા ડેમ ઉપર પાણી નો ફુટવાલ તણાઇ ગયો દોરડુ તુટી જતાં પાણી ની તકલીફ ઉભી નો થાય એ માટે તાત્કાલિક સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા એ કારોબારી ચેરમેન બકાલાલ પરમાર ને ડેમ ઉપર જવાનુ કહ્યુ  અને તેઓ ડેમ ઉપર જઈને ને જીયુડીસી ના મુનાભાઇ અને તેમના માણસો પાસે સેવાળ કઢાવી અને વાલ પાછો માણસો પાસે કઢાવી ને બનધાવ્યો હતો.

અને જિલ્લા ની જનતા ને સમય સર પાણી મલે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા તતાકાલિક વાલ અને સેવાળ દૂર કરતા સુરેન્દ્રનગર જિલ્લા ની જનતા ને હવે થી સમય સર પાણી મળી રહેશે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.