Abtak Media Google News

ભારેથી અતિભારે વરસાદ થયો અને ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો. છેલ્લા બે દિવસમા 294 રૂટ બંધ થતા 1988 ટ્રીપ રદ કરવી પડી હતી. જેના કારણે બે દિવસમા એસટી નિગમને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. જો કે પ્રવાસીઓની સલામતી માટે એસટી નિગમ દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હતા.

જ્યાં વધારે પાણી હોય તેવા રૂટમાં બસ ન લઈ જવા માટે પણ એસટી બસના ડાઈવરને સુચના આપવામાં આવી હતી. ભારે વરસાદના કારણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, વલસાડ, પાલનપુર સહિતના ડિવિઝનના રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે 10 ઓગસ્ટના 97 રૂટની 1383 ટ્રીપ રદ કરવામાં આવી હતી. તો 11 ઓગસ્ટના 191 રૂટની 605 ટ્રીપ રદ કરાઈ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.