પાવનકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે જૈન સમુદાય આત્માના કલ્યાણ અર્થે જપ-તપ અને સ્વાધ્યાય કરી રહ્યા છે. દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાનાં દિવસો સમાન છે. વર્ષ દરમ્યાન જાણતા અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી ઉપકારી પૂ. સંત સતિજીઓ, ગૂરૂ ભગવંતો પાસે પોતાના આત્માની સાક્ષીએ પ્રાયશ્ર્ચિત કરી તપ-ત્યાગ કરી કર્મો ખપાવવાના આ શ્રેષ્ઠ દિવસો છે. પર્યુષણ પર્વને જૈનો પર્વનો રાજા ગણે છે. ત્યારે પર્વાધિરાજ પર્યુષણમાં શહેરનાં જુદાજુદા દેરાસરોમાં પ્રભુજીને વિવિધ નયનરમ્ય આંગી રચના કરવામાં આવી છે. દેરાસરોને સુશોભિત કરાયા છે. ભાવિકો આ લાખેણી નયનરમ્ય રચના, શરગાર નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે.
Trending
- સુરત : સ્ટેટ મૉનિટરિંગ સેલના જુગારધામ પર દરોડા
- આ અનોખા ટાપુના દ્રશ્યો જોશો તો અત્યારે જ જવાનું મન થઈ જશે…
- તેલ લગાવ્યા પછી પણ વાળ ઝડપથી ખરે છે..!
- વંટોળીયા સાથે કરા અને કમોસમી વરસાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો લાવ્યો
- આધાર કાર્ડ હજુ સુધી ફ્રીમાં અપડેટ નથી કરાવ્યું..?
- આ છે વિશ્વના સૌથી સ્વાદિષ્ટ સફરજન! કિમત જાણી અચંબિત થઈ જશો!
- Chat GPT હવે થશે વધુ એદ્વાન્સ્ડ અને ફાસ્ટ…
- મુંબઈમાં તોફાન દરમિયાન હોર્ડિંગ્સ ધરાશાયી થતાં 14નાં મોત, 74 ઘાયલ