Abtak Media Google News

એસ.વી. વિરાણી સ્કુલ એલ્યુમની એસોસીએશનનાં નેજા હેઠળ વિરાણી સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ શિષ્ય સ્નેહ મિલન કાર્યક્રમ છેલ્લા ૧૧ વર્ષોથી હષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરૂ શિષ્ય સ્નેહ મિલન અને ભોજન સમારંભનું આયોજન એસ. વી. વિરાણી સ્કૂલ મધ્યસ્થ ખંડ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે ૫ જાન્યુઆરી, ૨૦૨૦, રવિવારના રોજ સાંજે ૫ કલાકે યોજાશે.

ઉપરોક્ત કાર્યક્રમમાં સ્કૂલમાં છેલ્લા ૫૦ વર્ષોમાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી. ગુરૂજનો પ્રત્યેનો પોતાનો ઋણ-આદરભાવ વ્યકત કરે છે. કાર્યક્રમમાં હાજરી આપવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓએ ભોજન પાસ તા. ૦૩-૦૧-૨૦૨૦, શુક્રવાર સુધીમાં અનિલ ટાંક મો. ૯૪૨૬૭ ૮૫૩૩૯, દિપક મોદી ૯૯૨૪૧ ૧૩૦૮૬, સંજય તંતી ૮૦૦૦૮૦૧૮૮૧, હાર્દિક સિયાણી મો. ૯૭૧૨૯ ૦૧૨૯૪નો સર્ંપક કરી મેવી લેવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.