Abtak Media Google News

રૂપિયા ૩૮૩૧ કરોડનો બિઝનેસ : માલિકીના ભંડોળો રૂપિયા ૪૮૩ કરોડ : ડીપોઝીટ રૂપિયા ૨૩૦૮ કરોડ : ધિરાણ રૂપિયા ૧૫૨૩ કરોડ : રોકાણ રૂપિયા ૧૧૬૧ કરોડ

ગ્રાહકોના વિશ્વાસ અને કુનેહભર્યા સંચાલનથી રાજ બેંકની ઉત્તરોતર પ્રગતિ : બેન્કનું નવ માસનું સરવૈયું આપતા સી.ઈ.ઓ.સત્યપ્રકાશ ખોખરા

રાજ બેંકના નામે ઓળખાતી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજ કોટ લી.એ નવ માસિક પરિણામો શ્રેષ્ઠ રહ્યા છે. તાજેતરમાં મળેલી બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠકમાં બેન્કના સી.ઈ.ઓ. સત્યપ્રકાશ ખોખરાએ સરવૈયું રજૂ કર્યું હતું. રાજ બેંકે ૪૦ વર્ષમાં પ્રથમ વખત રૂપિયા ૩૮૩૧ કરોડના બિઝનેસમાં આવક વેરા અને જોગવાઈ ઓ પહેલા નો નવ માસીક નફો રૂપિયા ૬૦ કરોડ થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાના જણાવ્યા પ્રમાણે રાજ બેંક એ કોઈ વ્યકિત આધારીત નહીં પરંતુ સિસ્ટમ આધારીત બેંક છે અને આ બેંકની સફળતાનો મુખ્ય શ્રેય બેંકના ૩ લાખ કરતા વધુ ડીપોઝીટરો, ૮૦ હજાર જેટલા સભાસદો, ૭ હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોનો બેંક પરત્વેનો અતૂટ વિશ્ર્વાસ, બોર્ડ ઓફ ડીરેકટર્સની બેંક તેમજ સમાજ પ્રત્યેની નિ:સ્વાર્થ સામાજીક ઉત્તરદાયિત્વની ભાવના અને સાથોસાથ ૨૫૯ સાથી કર્મચારીઓના અથાગ પ્રયાસોને આભારી છે.

રાજ બેંકે ગત વર્ષે કરેલ રૂપિયા ૭૦ કરોડના નફાની સામે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ નવમા સમાંઈન્કમ ટેકસ અને જોગવાઈ ઓપ હેલાનો રૂપિયા ૬૦ કરોડ નો ઐતિહાસિક નફો કરેલ છે.રાજ બેંકની માલીકીની મુડી ૨૪ ટકા કરતાં વધુ છે. જેમાં રૂપિયા ૧૩૬ કરોડ ની શેરમુડીનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા ૮૧ માસમાં રાજ બેંકની શેર મુડીમાં રૂપિયા ૮૬ કરોડ કરતાં વધુ રકમનો જંગી વધારો થયેલ છે.

7537D2F3 3

બેંકનાં શેર હોલ્ડરોને કાયદા અને પેટા નિયમની મર્યાદાને ધ્યાનમાં રાખી બેંક છેલ્લ ૩૭ વર્ષથી બેંક દ્વારા નફાકારકતા તેમજ કાયદાની મર્યાદાને ધ્યાને રાખીને નિયમોનુસારનું ડીવીડન્ડ ચુકવે છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ૮૧ માસમાં બેંક દ્વારા રૂપિયા ૯૪ કરોડ કરતા વધુનું ડીવીડન્ડ જેતે વર્ષના નફા માંથી ચુકવી આપેલ છે.

રાજ બેંકે અત્યાર સુધી છેલ્લા ૨૨ વર્ષમાં રૂપિયા ૧૦૦ ના ૧ શેર સામે રૂપિયા ૩૨૭ ડીવીડન્ડસ્વ રૂપે તેમજ બેંકની પડતર કિંમતની ગણતરીને ધ્યાને લેતાં  રૂપિયા ૫૮૪૮ ની કિંમત ની સભા સદભેટ મળી કુલ રૂપિયા ૧૦૦ ના રોકાણ સામે કુલ રૂપિયા ૬૧૭૫ શેર હોલ્ડરોને ડીવીડન્ડ તેમજ ભેટસ્વ રૂપે ચુકવી આપેલ છે.

બેંકે છેલ્લા ૧૯ વર્ષ અને ૯ માસમાં બેંકની કાર્યદક્ષ ટીમ દ્રારા રૂપિયા ૫૯૪ કરોડ કરતા વધુ રકમનો નફો કરેલ છે. જે પરત્વે રૂપિયા ૧૪૮ કરોડ રૂપિયાનો ઈન્કમટેકસ પણ ચુકવેલ છે અને બાકી રહેતી રકમ નું યોગ્ય આયોજન થકી યોગ્ય રોકાણ માધ્યમ દ્વારા બેંક દર વર્ષે રૂપિયા ૨૫ કરોડ જેટલી વ્યાજની આવક કરી રહેલ છે.

વર્ષ ૨૦૦૧ની સાલમાં બેંકની કુલ ડીપોઝીટ રૂ ૧૫૩ કરોડ ની હતી જે ડીપોઝીટ છેલ્લા ૧૯ વર્ષ અને ૯ માસના સમય ગાળા દરમ્યાન રૂ.૨૧૫૫ કરોડ કરતા વધુ રકમના જંગી વધારા સાથે ડીપોઝીટ રૂ .૨૩૦૮ કરોડનો લક્ષયાંક હાંસલ કરેલ છે. બેંકની સીએએસએ ડીપોઝીટ નું પ્રમાણ એવરેજ ૩૮ ટકા કરતા વધુ સીએએસએ ડીપોઝીટ જાળવી રાખવામાં બેંક સફળ થયેલ છે.

૪૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બજારની પરિસ્થિતિ અને લોન લેનાર ગ્રાહકોના તેમના ધંધામાં તેમની ઉઘરાણીમાં થયેલ વિલંબને કારણે, ધંધાકીય મંદી, નોટબંધીની પાછ ોતરી અસર, જીએસટીની ગૂંચવણના કારણે તેમજ રીયલ એસ્ટેટ માર્કેટની વર્તમાન પરિસ્થિતિને લીધે રાજ બેંકમાં પણ નવા ખાતાઓ એનપીએ થયેલ છે અને નવા તેમજ જુના એનપીએ ખાતાઓની કુલ રકમ રૂ ૮૦ કરોડ સામે બેંકે આશરે રૂ ૧૨૫ કરોડ કરતા વધુ રકમની મિલકતો ગીરવે લીધેલ છે અને હવે પછીના નાણાકીય વર્ષેામાં આ એનપીએ ખાતા ઓની રીકવરી દ્વારા બેંકને કોઈ પણ જાતનું નુકસાન કે, માંડવાળ કરવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થશે નહીં તે બાબતે અમારી ટીમ કટીબધ્ધ છે.

બેંકમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ રૂ ૮ લાખ કરતા વધુ છે જયારે એક કર્મચારી દીઠ નફો રૂ . ૩૦ લાખ કરતા વધારે છે. સાથો સાથ એક કર્મચારી દીઠ કુલ બીઝનેસ રૂ .૧૪ કરોડ કરતા વધુ છે જે  સમગ્ર બેંકીંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પૈકી રાજ બેંકના કર્મચારીની ઉચ્ચત્તમ કાર્યક્ષમતા દર્શાવે છે. બેંકની કાર્યદક્ષ કર્મચારીઓની ટીમ દ્વારા છેલ્લા ૧૯ વર્ષમાં રૂ.૧૬૧ કરોડના પગાર ના ખર્ચની સામે વ્યાજ સિવાયની રૂ .૧૪૯ કરોડની આવક બેંકને કમાવી આપેલ છે.નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં નાણાકીય સધ્ધર એવી બે સહકારી બેંકોનું મર્જર કરવાનું આયોજનને બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા સૈધ્ધાંતિક મંજુરી આપેલ છે.

નાણાકીય વર્ષમાં મોબાઈલ બેંકીંગ, ઈન્ટરનેટ બેંકીંગ, વોટસએપ બેંકીંગની સુવિધા આપવાનું આયોજ ન ટેકનોલોજી ક્ષેત્રે ટેકનોલોજીના નિષ્ણાતં વ્યકિતઓની મદદથી બેંકને ટેકનોસેવી બનાવવા માટેનું આયોજ ન વિચારેલ છે બેંક દ્વારા બેઝીક સેવિંગ્ઝ ખાતાઓ દ્વારા નાના માણસોને બેંકીંગની સુવિધા આપવાનું આયોજ ન વિચારેલ છે. રૂ.૨૫ લાખ સુધીની લોનજીએસટીના રીર્ટનને ધ્યાનમાં લઈ સરળ ધિરાણ યોજના દ્વારા ૪૮ કલાકમાં ધિરાણનું ચુકવણું કરવાનું આયોજ ન અમલમાં મુકવામાં આવશે.

ચાલુ નાણાકીય વર્ષમાં થયેલા એનપીએ તેમજ જુના એનપીએના તમામ ખાતાઓમાં રીકવરી દ્વારા એનપીએ ખાતા ઘટાડવા માટેનું આયોજન તા.૩૧.૦૩.૨૦૨૦ સુધીમાં કરેલ છે અને બેંકને ફરીથી ઝીરો નેટ એનપીએનું સ્ટેટસ મેળવવા માટેનો એક એકશન પ્લાન પણ તૈયાર કરેલ છે.

રાજ બેંકની તમામ સફળતા માટે રાજ બેંકના શેર હોલ્ડરો, થાપણદારો, ધિરાણદારો તેમજ ટીમ રાજ બેંકને આભારી છે. રાજ બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાના કહેવા પ્રમાણે જ યાં સંઘર્ષ નથી ત્યાં કોઈ પ્રગતિ નથી. આ કથનને ટીમ રાજ બેંકે પણ ખુબ જ હકારાત્મક રીતે લઈ અને છેલ્લા ૮૧ માસના સતત સંઘર્ષની સાથોસાથ પ્રગતિ પણ કરી સંઘર્ષ સાથે પ્રગતિના કથનને યોગ્ય ઠરાવેલ છે અને રૂ.૩૯૫ કરોડ જેટલો ઈન્કમટેકસ અને જોગવાઈ ઓ પહેલા નો નફો હાંસલ કરેલ છે. તેમના મંતવ્ય મુજબ કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી એટલું જ નહીં સફળતા મેળવવા ૧૦૦ ટકા પ્રયાસો કરવા પડે પરંતુ આ સફળતા ટકાવી રાખવા ૧૫ ટકા પ્રયાસો કરવા પડે છે.

7537D2F3 3

રાજ બેંકની આવી સુંદર સફળતા અને અવિરત પ્રગતિનો સંપુર્ણ શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્ર્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણીકભાઈ ધામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણીકભાઈ સેજ પાલ, ફાઉન્ડર ડાયરેકટરો મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જ મનાદાસ ફળદુ, ગોવિંદભાઈ ખુંટ, કિરીટભાઈ કામદાર, ચંદુભાઈ પાંભર, રસિકભાઈ દવે, પ્રવિણભાઈ દવે, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, ભાણજીભાઈ પટેલ, ભુતપુર્વ ડાયરેકટર શિરીષભાઈ ધ્રુવ, ધી‚ભાઈધાબલીયા, ગોપાલભાઈ કારીયા, દિનેશભાઈ ડેડાણીયા, વલ્લભદાસ હિરાણી, અ‚ણાબાચુડાસમા, દિવાળીબેન ઘરસંડીયા, લીલાબેન ધામી, કમલનયન સોજીત્રા, બકુલભાઈ ઝાલાવડીયા, બીપીનભાઈ શાહ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ (ભુતપુર્વ વાઈસ ચેરમેન રાજ બેંક) તેમજ બેંકનાં ભુતપુર્વ ચેરમેન મધુસુદનભાઈ દોંગા, ભુતપુર્વ વાઈસ ચેરમેન જ ગજીવનભાઈ સખીયા, રમેશભાઈ ટીલારા, ભુતપુર્વ મેનેજીંગ ડીરેકટરો, ભુતપુર્વ સ્ટાફ મેમ્બર્સ, પ્રવર્તમાન ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રવર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સ નિલેશભાઈ ધ્રુવ, મુળજીભાઈ ચૌહાણ, જગદીશચંદ્ર કોટડીયા, સચિન સચદે, નિમીત કામદાર, હરીન્દ્ર દોંગા, પ્રાગજીભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, મીનાક્ષીબેન ધામી, કિરણબેન સેજ પાલ, આમંત્રીત સભ્ય હર્ષદભાઈ માલાણી, રાજેન્દ્રભાઈ રાવલ, એડવાઈઝર કેતનભાઈ મારવાડીના સતત માર્ગદર્શન તથા પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ, પ્રોફેશ્નલ મેનેજમેન્ટ તથા રાજ બેંકના કર્મચારી પરિવારના ૨૫૮ કર્મચારીઓની ટીમવર્કના ફાળે જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.